Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

રાજકોટના ગોરસ મેળા સાથે કાલથી સોૈરાષ્ટ્રમાં લોકમેળાની જમાવટ

ગામે-ગામથી લોકો મેળો માણવા ઉમટી પડશેઃ ફરવાલાયક સ્થળોએ જામશે લોકોની ભીડ

રાજકોટ તા.૩૧: જન્માષ્ટમી પર્વ ભવ્યતાથી ઉજવવા લોકોમાં ઉત્સાહ છવાયો છે ત્યારે જન્માષ્ટમી પર્વમાં લોકમેળાઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ લોકમેળાનો કાલથી રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં પ્રારંભ થશે. કાલે સવારે રાજકોટમાં ''ગોરસ'' લોકમેળાનો પ્રારંભ થશે અને લોકો મેળાની મજા માણવા ઉમટી પડશે.

આ ઉપરાંત ગોંડલ, જેતપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરો અને તાલુકા મથકોએ મેળાની રંગત જામશે. આ ઉપરાંત જન્માષ્ટમી પર્વ નિમિતે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છનાં ફરવા લાયક સ્થળોએ લોકોની ભારે ભીડ જામશે.(૧.૧૨)

(11:40 am IST)