Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કરનાર વિજય પ્લોટના દયાળભાઇનું મોત

રાજકોટ તા. ૩૧: વિજય પ્લોટમાં બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કરનાર રજપૂત આઘેડનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ વિજય પ્લોટ શેરી નં. ૧૧ માં રહેતા દયાળભાઇ રામસિંગભાઇ વિશેન (ઉ.વ. ૪પ) (રજપુત) બીમારીથી કંટાળી ગત તા. ર૬/પ ના રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક દયાળભાઇ બે ભાઇ એક બહેનમાં મોટા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ આર. સી. રામાનુજે તપાસ આદરી છે.

(3:55 pm IST)