Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સરદારનગરમાં કોઇએ ઇલેકટ્રીક થાંભલો તોડી નાંખ્‍યોઃ ગંભીર અકસ્‍માતઃ તંત્ર ધંધે લાગ્‍યુ

 રાજકોટ : સરદારનગર મેઇન રોડ ઉપર કોઇ અજાણ્‍યા વાહન ચાલકે સીમેન્‍ટના વીજ થાંભલાને તોડી નાંખતા ગંભીર અકસ્‍માત સર્જાયેલ. કેમકે વીજતારો તુટી ગયા હતા. જોકે સદનસીબે કોઇને ઇજા કે જાનહાની થયાનું બહાર નથી આવ્‍યું દરમિયાન આ બનાવની જાણ વીજકંપનીને થતાં આજે સવારે યુધ્‍ધના ધોરણે સમારકામ હાથ ધરી વીજપુરવઠો પૂર્વવત કરાયો હતો. તે વખતની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

(4:16 pm IST)