Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પ્ર.નગર પોલીસે નિરાધારોને સેલ્ટર હોમમાં ખસેડયા

રાજકોટઃ નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારી અનુસંધાને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. તેના પગલે રાજકોટમાં પણ લોકડાઉન દરમિયાન પોલીસ તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અપીલ કરવામાં આવેલ છે, પરંતુ જે લોકોનું કોઈ આશ્રય સ્થાન ન હોય અને રખડતુ-ભટકતુ જીવન જીવી રહ્યા છે તેની સલામતી માટે આજે પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ વી.એસ. વણઝારા સહિત સ્ટાફે રેલ્વે સ્ટેશન તથા જંકશન વિસ્તારમાંથી ૧૮ જેટલા ભીક્ષુકો, નિરાધારો અને દિવ્યાંગોને પોલીસની વેન તથા કોર્પોરેશનની મીની બસમાં બેસાડી ભોમેશ્વરમાં આવેલા સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

(3:34 pm IST)