Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મધરવાડાની પરિણિતાને આપઘાતની ફરજ પાડવા અંગે પતિની જામીન અરજી ના મંજૂર

માત્ર દોઢ માસના લગ્નજીવનમાં પરિણિતાએ આપઘાત કરેલ છેઃ કોર્ટ

રાજકોટ, તા.૩૧: રાજકોટના મધરવાડા ગામે રહેતી પરિણિતા નીમુબેન ચતુરભાઇ તલસાણીયાને આપઘાતની ફરજ પાડવાના ગુન્હામાં પકડાયેલ તેણીના પતિ ચતુરભાઇ ગોવિંદભાઇ તલસાણીયાએ રેગ્યુલર જામીન પર છોડવા કરેલ અરજીને ઇન્ચાર્જ જજ.સી એચ.એ. બ્રહ્મભટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી પતિ કોઇ કામ ધંધો કરતો ન હોય અને દેવુ વધી જતાં યેનકેન પ્રકારે માત્ર દોઢ માસના લગ્ન જીવન દરમ્યાન પત્નિને મારકૂટ કરીને ત્રાસ આપતા તેણીએ તા.૨૩-૩-૨૦૨૦નાં રોજ પોતાની ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઇએ આરોપી બનેવી સામે તેની આપઘાત કરવાની ફરજ પાડવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરતાં આરોપી ચતુર તલસાણીયા (કોળી)એ જામીન પર છૂટવા અરજી કરી હતી.

(3:28 pm IST)