Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પરશુરામ સેના જેતપુર દ્વારા ૧૧મો સમુહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ સંપન્નઃ ૧૦ યુગલો જોડાયા

૭ બટૂકોને યજ્ઞોપવિત વિધિઃ જીમખાના મેદાનમાં ભૂદેવો ઉમટી પડયા

રાજકોટ તા. ૩૧: સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રવકતા જયંતભાઇ ઠાકર-સમગ્ર મિડયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી, પરશુરામ સેના-(જેતપુર)નાં પ્રમુખ-હિતેષભાઇ જોષી-મંત્રી અશોકભાઇ ઠાકરની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ જેતપુરમાં જીમખાના મેદાનમાં પરશુરામ સેના ઉપક્રમે અગિયારમાં સમુહ લગ્ન અને યજ્ઞોપવિતનો શુભ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ૧૦ યુગલો-નવ દંપતીઓએ પ્રભુતાનાં પગલા માંડયા સાથે ૭, બટુકોએ નવી જનોઇ ધારણ કરી હતી.

કાર્યક્રમનાં મુખ્ય દાતા ભારતી વિદ્યોત્તેજક સહાય સમિતિ-રાજકોટનાં ભારતીબાળા રમેશભાઇ ઠાકર (હાલ મુંબઇ) એ ખુબજ મોટા સહયોગ આપેલ હતો.

મુખ્ય અતિથિ-મહેમાન પદે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા-રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયમંત્રી હરેશભાઇ જોષી-રાજકોટ મહાનગર પાલીકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, જેતપુર બ્રહ્મસમાજ અગ્રણી કમલેશભાઇ પંડયા, કાળુભાઇ જોષી, રમેશભાઇ ઠાકર (મુંબઇવાળા), આશિષ પંડયા, પ્રમુખ જીમખાના (જેતપુર) વસંતભાઇ પટેલ, મનીષભાઇ પંડયા, લાયન્સ કલબ જેતપુર પ્રમુખ વિ. ઉપસ્થિત રહેલ. પરશુરામ સેના (જેતપુર) અગિયારમાં સમુહ લગ્ન યજ્ઞોપવિત આયોજનને સફળ બનાવવા, પ્રમુખ, હિતેષભાઇ એસ. જોષી-મંત્રી, અશોકભાઇ એમ. ઠાકર, ઉપપ્રમુખ શૈલેષભાઇ જોષી સહમંત્રી સુરેશભાઇ મહેતા, સંજયભાઇ વી. દવે, ખજાનચી સુરેશભાઇ પંડયા, સંગઠન મંત્રી-ઘનશ્યામભાઇ જોષી, દિલીપભાઇ જોષી, કારોબારી સભ્યો-રાજુભાઇ મહેતા, ચંદુભાઇ જોષી, મનુભાઇ મહેતા, અજયભાઇ અધ્યારૃ, સંદીપભાઇ જાની, ધર્મેશભાઇ કનૈયા સહિત ખાસ જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)