Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

BSNL કર્મચારીઓના રાજકોટમાં દેખાવો...

 રાજકોટ : બીએસએનએલના તમામ યુનિયનો દ્વારા નવા પગાર પંચનો લાભ, નવી ટાવર કંપની સહિતના પ્રશ્નો બાબતે, પાંચ દિ'નો સત્યાગ્રહ કાર્યક્રમ શરૂ કરાયો છે. ગઇકાલે રાજકોટ સહિત દેશભરમાં બીએસએનએલ. ની મુખ્ય કચેરીઓ સામે સાંજે ઉગ્ર દેખાવો-સુત્રોચ્ચાર કરાયા હતાં. વર્ક ટુ રૂલ, કાળી પટ્ટી ધારણ કરવી સહિતના કાર્યક્રમો-દેખાવો પાંચ દિ' ચાલુ રહેશે, રાજકોટમાં જયુબેલી બાગ પાસેની બીએસએનએલ. કચેરી ખાતે ગઇકાલે સાંજે દેખાવો-સુત્રોચ્ચાર કરતા કર્મચરીઓ-અધિકારીઓ નજરે પડે છે.

(11:30 am IST)