Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

૬૦ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે રૂપિયા બાર લાખ પચ્ચીસ હજાર ચુકવવાનો નિર્ણયઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત

રાજકોટ તા. ૩૦: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯ર થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુ સહાય તેમજ માંદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમાં ધારાશાસ્તરીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમિતિના ચેરમેનશ્રી દિલીપ કે. પટેલ, સભ્યશ્રી કરણસિંહ બી. વાઘેલા અને શ્રી દિપેન કે. દવેની મીટીંગ મળેલ. જેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમીતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોમાંથી આવેલ કોરોના માંદગી સહિતની માંદગી સહાયની અરજીઓ હાથ પર લેવામાં આવેલ અને જ ેમાં ૬૦ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે રૂપિયા બાર લાખ પચ્ચીસ હજાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ તેમજ ૧પ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય આપતી કમીટીમાં પણ ધારાશાસ્ત્રીઓને વધુ માંદગી સહાય મળી રહે તે માટે ભલામણ કરવામાં આવેલ.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુ સહાયનું ફંડ અને માંદગી સહાયનું ફંડની ખાસ અલગ જોગવાઇ કરવામાં આવેલ છે જેમાં, મૃત્યુ સહાયના ફંડમાં વેલ્ફેર ફંડ, મેમ્બરશીપ ફી, રીન્યુઅલ ફી તેમજ વેલ્ફેર ફંડની ટીકીટ દ્વારા ફંડો એકઠું કરવામાં આવે છે. જયારે માંદગીસહાય રૂલ-૪૦ હેઠળની ફી માત્ર એકવાર લેવામાં આવે છે અને જેમાં જરૂરિયાતમંદ ધારાશાસ્ત્રીઓને વ્યવસાય દરમિયાન મહતમ ત્રણ વાર માંદગીસહાય આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાયનો લાભ મેળવવા હકકદાર બને છે તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓને વધુમાં વધુ રૂ. ૮૦,૦૦૦ સુધીની માંદગીસહાય આપવામાં આવે છે. તેમ શ્રી પી. એમ. પરમાર (ઇન્ચાર્જ સેક્રેટરી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) ની યાદીમાં જણાવાયું છે. 

(3:50 pm IST)