Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ભાઇના ઘરેથી પાછુ સુરત નહોતું જવું એટલે મનસુખભાઇએ એસિડ પી જીવ દીધો

વાળંદ વૃધ્ધ દિકરાના ઘરેથી રાજકોટ ભાઇના ઘરે રોકાવા આવ્યા'તા

રાજકોટ તા. ૩૦: સુરત અમરોલીમાં  પુત્ર સાથે રહેતાં અને કેટલાક દિવસથી રાજકોટ ભાઇના ઘરે આવેલા વાળંદ વૃધ્ધને પરત સુરત ન જવું હોઇ તે કારણે એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છ.ે

સુરત અમરોલી મારૂતિધામ સોસાયટીમાં રહેતાં મનસુખભાઇ છગનભાઇ ચુડાસમા (ઉ.૬૫) કેટલાક દિવસ પહેલા પુત્રના ઘરેથી રાજકોટ રૈયા ચોકડીથી આગળ જનતા ડેરી પાસે મીરાનગરમાં રહેતાં તેમના ભાઇ મનોજભાઇના ઘરે આવ્યા હતાં. પુત્રએ પરત સુરત આવી જવાનું કહેતાં તેમને ત્યાં પાછા જવું ન હોઇ એ કારણે ભાઇના ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર વૃધ્ધ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. યુનિવર્સિટી પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી.

(3:57 pm IST)