Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ આનંદપુર અને સેવા સેતુ પરિવાર રાજકોટ દ્વારા ૮ માં નેત્રયજ્ઞનો પ્રારંભ

રાજકોટ તા. ૩૦ : સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ આનંદપુર અને સદ્દગુરૂ સેવા સેતુ પરિવાર રાજકોટના સંયુકત તત્વાવધાનમાં ગત તા. ૨૫ મીથી ૮ મો નેત્રયજ્ઞ શરૂ કરાતા અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ આંખના ઓપરેશનો થઇ ચુકયા છે. ગુરૂદેવ પોતાની હાજરીમાં નેત્રયજ્ઞ કરેલ તે જિલ્લાઓ ગુના, વિદિશા, સુજાલપુર, સાગર, મુરેના ઉપરાંત દમોહ, શીવપુરી, રાયસેન, ભોપાલ સહીતના તેમજ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના શહેર ગામડાો કે જેનું અંતર આનંદપુરથી ૨૯૦ કિ.મી. આસપાસ થાય  છે ત્યાં મોતિયાબિંદના ઓપરેશનનો કરવામાં આવી રહ્યા છે. નેત્રયજ્ઞ દરમિયાન દર્દીઓને ધાબળો, ગરમ ટોપી, ગરમ સ્કાફ, સ્લીપરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ગુરૂભાઇ બહેનો, સંસ્થાઓના કાર્યકર્તાઓ સહયોગી બની રહ્યા છે. વિશેષ માહીતી માટે મહેન્દ્રભાઇ દત્તાણી રાજકોટ (મો.૯૪૨૮૮ ૯૦૪૯૦), બિપીન હેરમા રાજકોટ (મો.૯૪૨૮૨ ૮૩૭૭૮), પરેશભાઇ ચૌહાણ મુંબઇ (મો.૯૯૩૦૦ ૦૩૦૨૭), ચિરાગભાઇ ગોહેલ મુંબઇ (મો.૯૮૨૧૦ ૬૧૮૫૪), નિકેત મસરાણી સુરત (મો.૯૯૦૪૩ ૯૮૦૪૩), રવિ ઉપાધ્યાય આનંદપુર (મો.૮૦૮૫૩ ૫૧૮૦૮) નો સંપર્ક કરી શકાય છે.

(3:48 pm IST)