Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વોર્ડ નં.૮ જગન્નાથ સોસાયટીમાં પેવરકામ શરૂ

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૮માં આવેલ જગન્નાથ સોસાયટી-૨, વાત્સલ્ય હોસ્પિટલ સામેના વિસ્તારમાં પેવરકામનો પ્રારંભ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ તેમજ આરએસએસના નલીનભાઈ જોષીના હસ્તે તેમજ વોર્ડના પ્રભારી નિતીન ભુત, વોર્ડ પ્રમુખ અશ્વીન પાંભર, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગર, તેજશ જોષી, મનુભાઈ વઘાશીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જસ્મીન મકવાણા, દેવકરણ જોગરાણા, શકિતભાઈ ગઢવી, દિલસુખ રાઠોડ, ભરતભાઈ રામોલીયા, નીલેશ સીદપરા, રાજુભાઈ ડઢાણીયા, જયસુખ મારવીયા, અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડીયા, જયોતીબેન લાખાણી, રક્ષાબેન જોષી, દીપાબેન મલકાણ, વંદનાબેન તેમજ સ્થાનીક અગ્રણીઓ તુષારભાઈ સોનરાજ, ધર્મેશભાઈ ચોકસી, દશરથસિંહ ઝાલા, પ્રવીણભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, કમલેશભાઈ ઠાકર, વિનોદભાઈ સોનારીયા, જીતેનભાઈ જોષી, કોકીલાબેન સોનરાજ, જુલીબેન પટેલ, દીનાબેન, જયશ્રીબેન, અંકીતાબેન પટેલ, જયોત્સનાબેન પટેલ, કલાબેન પુજારા, સુમનબેન પટેલ, મુકતાબેન લુહાર, હીનાબેન ભાટીયા, ચેતનાબેન હાસલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)