Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

વોર્ડનં.૧૦ અમૃતનગર- શ્રધ્ધાદિપ સોસા.માં રી-કાર્પેટનું ખાતમુર્હુત

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૧૦ના કાલાવડ રોડ પર આવેલા અમૃતનગર તથા  શ્રધ્ધાદિપ સોસાયટી ખાતે ડામર રી- કાર્પેટના કામનું ખાતમુહુર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતું. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, યુવા મોરચાના પ્રમુખ સંજયભાઈ વાઘર  તથા અમૃતનગર અને શ્રધ્ધાદિપ સોસાયટીના સ્થાનીક રહીશો કવિતાબેન પરમાર, આભારબેન શર્મા, સંગીતાબેન સાચલા, કનકરાય ગઢીયા, પ્રદિપકભાઈ પાઠક, કિરીટસિંહ વાઘેલા, દિલીપભાઈ રબારા, આર.એચ.ડોકટરી, કિરણભાઈ પાઠક, પ્રભુભાઈ કામરીયા, પાર્થ વઘાસીયા, પી.પી.રોકડ, હસુભાઈ લુણાગરીયા, ચંદ્રેશભાઈ ભુત, ચંદ્રિકાબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા.

(3:52 pm IST)