Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

રન ફોર યુનિટી અંતર્ગત કાલે સાંજે ૪ થી ૮ રેસકોર્ષ રીંગ રોડ વન-વે બની જશેઃ પોલીસ કમિશ્નર અગ્રવાલનું જાહેરનામુ

રાજકોટઃ આવતી કાલે રન ફોર યુનિટીનું આયોજન કરાયું હોઇ તેમાં જોડાનારા શહેરીજનોને અકસ્માતનો ભય ન રહે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ૩૧મીના સાંજના ૪ થી ૬ સુધી રેસકોર્ષ રીંગરોડને વન-વે જાહેર કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે. તે અંતર્ગત અંદરના રીંગ રોડને ચાર કલાક સુધી વન-વે જાહેર કરી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત કરવામાં આવશે. આ રોડના ફકત બહારના ભાગે વાહનોની અવર-જવર થઇ શકશે.

(4:44 pm IST)