Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

NCP પ્રદેશ ઉપપ્રમુખ સી.આર.પટેલ બિમારીમાંથી સ્વસ્થઃ રાજકોટથી પ્રવાસ

રાજકોટઃ એન.સી.પી.ના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના પ્રભારી શ્રી સી.આર.પટેલ ચિકનગુનીયાની બીમારી સામેની લડાઈ જીતી તંદુરસ્ત અને સ્વસ્થ થતાં એન.સી.પી. કાર્યાલયની આભાર વ્યકત કરી અને કાર્યકરોને આગામી ધારાસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તૈયાર રહેવા જણાવેલ છે. ગુજરાત પ્રદેશ ઈન્ચાર્જ મહામંત્રી નિકુલસિંહ તોમરના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

શ્રી સી.આર.પટેલ ૨જી ઓકોટમ્બરથી ર્સૌરાષ્ટ્રનો પ્રવાસ રાજકોટથી શરૂ કરશે અને સૌરાષ્ટ્ર કચ્છના બધા જીલ્લાનો પ્રવાસ કરશે.

(2:52 pm IST)