Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પુરમાં તણાયેલા મૃતકોને હજુ સુધી સહાય ન મળતા સામાન્ય સભામાં પડઘો

સભ્ય ભાનુબેન ધીરૂભાઇ તળપદાએ તંત્રને ઢંઢોળ્યું

રાજકોટ : પડધરી તાલુકામાં ૩ મહિના પહેલા વરસાદી પુરમાં તણાઇને મૃત્યુ પામેલા રાજેન્દ્રસિંહ તથા બળુભા અને સંજયભાઇના પરિવારને સરકારી ધારા ધોરણ મુજબ હજુ સુધી સહાય ન મળતા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી ભાનુબેન ધીરૂભાઇ તળપદાએ અગાઉ કારોબારીમાં અને આજે પંચાયતની સામાન્ય સભામાં સવાલ ઉઠાવ્યો હતો.૪૮ કલાકમાં સહાય આપવાના સરકારના નિયમનું પાલન શા માટે થયુ નથી ? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.ડે.ડી.ડી.ઓ. શ્રી ગોહિલે મૃતકોના પોસ્ટમોર્ટમ (વિસેરા) રીપોર્ટ ન આવ્યો હોવાથી સહાય ચૂકવાયેલ ન હોવાનું જણાવી શકય તેટલી ઝડપ કરાવવાની હૈયા ધારણા આપી હતી.

(2:50 pm IST)