Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

શહીદ વીર ભગતસિંહજીની જન્મજયંતી નિમિત્તે પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

રાજકોટ :  રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તા.૨૮ના રોજ શહીદ વીર   ભગતસિંહજીની ૧૧૨મી જન્મજયંતી નિમિતે તેઓની   શહીદ વીર ભગતસિંહજી ગાર્ડન, યુનિવર્સીટી રોડ ખાતે  આવેલ પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન  નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કોર્પોરેટર  દુર્ગાબા જાડેજા, મીનાબેન પારેખ, મનસુખભાઈ કાલરીયા, આસિસ્ટન્ટ કમિશનર  હર્ષદભાઈ પટેલ, વોર્ડ નં.૦૯ના ભાજપના પ્રમુખ આશિષભાઈ ભટ્ટ, વોર્ડ નં.૧૦ના ભાજપ મહામંત્રી હરેશભાઈ કાનાણી, પૂર્વ કોર્પોરેટર  નીતાબેન વદ્યાસીયા, નીરૂભા વાઘેલા તથા હેમંતસિંહ ડોડીયા, મયુરીબેન ભાલારા, ભુપેન્દ્રભાઈ વસાવડા વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

(3:56 pm IST)