Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજકોટમાં એકધારા વરસતા વરસાદને કારણે નીલસીટી ,ખોડલધામના ચારેય ઝોન સહીત કેટલાય રાસોત્સવ બંધ

દિવસભરના સતત વરસાદને કારણે દાંડિયારાસના આયોજન બંધ

રાજકોટ : રાજકોટમાં છેલ્લા 24 કલાકથી સતત વરસતા વરસાદને કારણે કેટલાય અર્વાચીન રાસોત્સવ બંધ રાખવાની ફરજ પડી છે જેમાં નીલ સીટી રાજકોટ ખોડલધામના ચારેય ઝોન દાંડિયા રાસ ;સાધુ વાસવાણી રોડ પર રઘુવંશીના રાસોત્સવ સહિતના મોટાભાગના દાંડિયા રાસ બંધ રખાયા છે

  ગઈકાલ બાદ આજે વહેલી સવારથી એકધારો વરસાદ પડી રહયો છે દિવસભરના સતત વરસાદને કારણે દાંડિયારાસના આયોજન બંધ રાખ્યા છે

 

(6:30 pm IST)