Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કરણપરા અને જામટાવર પાસેથી બેભાન મળેલા પ્રોઢ અને વૃધ્ધના મોતઃ વાલીવારસ હોય તો એ-ડિવીઝન અને પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટઃ કરણપરા-૨૨ના ખુણેથી આશરે ૫૦ વર્ષના અજાણ્યા પુરૂષ તા. ૨૯/૮ના રોજ બેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ   અહિ મોત નિપજ્યું હતું. મૃતકના માથાના વાળ અડધા સફેદ છે અને અડધી સફેદ દાઢી છે. ભીક્ષુક જેવા લાગે છે અને શરીરે પાતળા બાંધાના છે. પ્રથમ તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પીએસઆઇ ટી. ડી. ચુડાસમાનો ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

જ્યારે બીજા બનાવમાં તા.૨૮/૮ના રોજ જામટાવર ચોક રાજકોટ ડેરીની પાસે લીમડાના ઝાડ નીચેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં ૧૦૮ના ઇઍમટી ભાવનાબેન ડોડીયાએ તેને મૃત જાહેર કરતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. બીજી તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(11:21 am IST)