Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મારા મોતનો જીમ્મેદાર હું પોતે છું, ચીઠ્ઠી લખીને યુવરાજસિંહનો આપઘાત

ગુજરાત હાઉસીંગ કવાટર્સમાં બનાવઃ યુવાને ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૩૦ : પુષ્કરધામ પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતાયુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ધંધુકાના વાગડ હાલ રાજકોટ પુષ્કરધામ પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં ભાડે રહેતા યુવરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા (ઉ.ર૬) એ પોતાના ઘરેે પંખા સાથે લુંગી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની જાણ થતા યુનિર્વસિટી પોલીસ મથકના હેડ કોન્સ અજયસિંહ અને બ્રીજરાજસિંહએ તપાસ હાથ ધરી છે. મૃતક યુવરાજસિંહ બે બહેનમાં એકના એક ભાઇ હતા તે આઠ માસથી રાજકોટમાં ગોંડલ રોડ પર ભુણાવાના પાટીયા પાસે શકિતમાન રીક્ષાની કંપનીમાં નોકરી કરતા હતા તપાસ દરમ્યાન પોલીસને સ્યુસાઇટ નોટ મળી આવી હતી જેમાં 'મારી મોતનો જીમ્મેદાર હું પોતેજ છું' તેમ લખ્યુ છે. આ યુવાને કયા કારણોસર આ પગલુ ભર્યુ તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)