Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરે દર્શનનો લાભ લેતા ભાવિકો

રાજકોટઃ શહેરની મધ્યે બિરાજતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો અવિરત પણે દર્શનનો લાભ લઈ રહ્યા છે. ભાવિકો માસ્ક અને સંપૂર્ણપણે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી રહ્યાનું મંદિરના પૂજારીશ્રી અને સ્વયંસેવકોએ જણાવ્યું હતું. ગઈકાલે રાજકોટ ઝોન ડીસીપી શ્રી પ્રદીપકુમાર, એસ.પી.શ્રી રાઠોડ, એ ડીવીઝનના પી.આઈ.શ્રી જોશી, થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી હડીયાએ મંદિરના પૂજારી અને સ્વયંસેવકો સાથે વાત કરી સંતોષ વ્યકત કર્યો હતો અને ભોળાનાથના દર્શનનો પણ લાભ લીધો હતો. ભાવિકોએ સરકારશ્રીના નિયમોનું પાલન કરી નિજ મંદિરે દર્શનનો લાભ લેવા ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ મહેતા અને સ્વયંસેવકો દ્વારા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:07 pm IST)