Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ગેરપ્રવૃતિઓ થતી હોય તો મને તુરંત જાણ કરો : બલરામ મીણા

રાજકોટ એસ.પી. રૂરલ બલરામ મીણા 'અકિલા'ની મુલાકાતે : ફેસબુક ન્યુઝ નિહાળી ખૂબ પ્રભાવિત

રાજકોટ : રાજકોટ રૂરલ એસ.પી. તરીકે ચાર્જ સંભાળનાર શ્રી બલરામ મીણા આજરોજ ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અનેકવિધ પ્રશ્નો- બાબતો અંગે મુકતમને ચર્ચા કરી હતી અને તેઓ ''અકિલા ફેસબુક લાઈવ ન્યુઝ'' નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. લાઈવ ન્યુઝમાં જ શ્રી મીણાએ જણાવેલ કે કોઈપણ જગ્યાએ ગેરપ્રવૃતિઓ થતી હોય જો કોઈપણ વ્યકિત મને માહિતી આપશે તો ત્વરીત ધોરણે પગલા લઈશ. પોતાના વિસ્તારોમાં અસામાજીક પ્રવૃતિઓ થતી હોય તો મને તાત્કાલીક મારા મો. નં. ૯૯૭૮૪ ૦૫૦૮૦ ઉપર સંપર્ક કરવો. હું મારી ટીમ સાથે તાત્કાલીક ધોરણે પગલા લઈ અને ગેરપ્રવૃતિઓ અટકાવવાના પૂરતા પ્રયત્નો કરીશ. રાજકોટ શહેરમાં વધી રહેલા ક્રાઈમ રેટ અંગે તેઓએ જણાવેલ કે શહેરમાં છૂટાછવાયા બનાવો જોવા મળે છે કે કોઈ અંગત કારણોસર માથાકૂટ જેવા પ્રશ્નો જોવા મળે છે. ઉકત તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે એસપી રૂરલ શ્રી બલરામ મીણા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૩)

(4:19 pm IST)