Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

મોહમ્મદ રફીની ૩૮મી પૂણ્યતિથી નિમિતે

કાલે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે બાગેશ્રી ઓરકેસ્ટ્રાનો ''રફી તુમ બહુત યાદ આયા''નો વિશેષ કાર્યક્રમ

આયોજક-ઓશો સન્યાસી અશોકભાઇ લૂંગાતર (સ્વામિ ધ્યાન અનુભવ)

રાજકોટ તા. ૩૦: ૃઆવતીકાલે તા. ૩૧ જુલાઇને મંગળવારના રોજ વિશ્વ વિખ્યાત ગાયક સ્વ. મોહમ્મદ રફીની ૩૮મી પૂણ્યતિથી નિમિતે રાજકોટના ઓશો સન્યાસી અશોકભાઇ લૂંગાતર (સ્વામિ ધ્યાન અનુભવ) જેઓ બાગેશ્રી ઓરકેસ્ટ્રાના ડાયરેકટર છે તેઓ દ્વારા મંગળવારે રાત્રે ૯ કલાકે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે રફી તુમ બહુત યા આયેનો વિશેષ કાર્યક્રમ રાખેલ છે. તેઓની સાથે ઓરકેસ્ટ્રામાં સાથ આપનાર રાજનભાઇ મહેતા જેઓ ઇરીગેશનમાં ચીફ એન્જીનીયર છે અને ઓરગન પ્લેયર છે, મીનાબહેન મહેતા (વર્સેટાઇલ સિંગર) મહેષ શુકલા તથા ઉદય ક્રિશ્ચન (કોંગો-ઢોલક) દિલીપ દવે (તબલા), જયંત (જમુઆર) વોઇસ ઓફ હેમંતકુમાર, વિજયભાઇ (બિન્ટી સાઉન્ડ), દિલીપભાઇ દવે એ.જી. ઓફિસ સુપરવાઇઝર છે.

અશોકભાઇ લૂંગાતર એ.જી. ઓફિસમાં સિનીયર એકાઉન્ટ હતા. જેઓ છેલ્લા રપ વર્ષોથી આ સંસ્થા ચલાવે છે. તેઓ સ્ક્રીપ્ટ રાઇટર, ડાયરેકટર, પ્રોડયુસર, ઓરગન પ્લેયર, વરર્સેટાઇલ સીંગર તથા હાલમાં તેમનું નાટક ''ડાયા ઘરના બધા ગાંડા'' એ સિલ્વર જયુબેલી ઉજવેલ છે.

બાગેશ્રી ઓરકેસ્ટ્રા દ્વારા આયોજીત 'રફી તુમ બહુત યાદ આયે' કાર્યક્રમમાં રફી સાહેબના ગીતોનો આનંદ લેવા અશોકભાઇ તથા સ્વામિ સત્ય પ્રકાશે જાહેર જનતાને અનુરોધ કરેલ છે.

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓરવબ્રિજ પાસે, ડી માર્ટ પાસે,  ૪ વૈદવાડી, રાજકોટ.

વિશેષ માહિતીઃ- સ્વામિ સત્ય પ્રકાશ-૯૪ર૭ર પ૪ર૭૬, અશોકભાઇ લૂંગાતરઃ ૯૮ર૪૪ ૯ર૩૯ર (૭.ર૩)

(4:10 pm IST)