Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કાલથી ૧૦ મી સુધી કોર્પોરેશનની લાઇબ્રેરીઓમાં ગત વર્ષનાં જુના મેગેઝીનોનું વેચાણ : ૧૦% વળતર

પુસ્તક પ્રેમીઓ માટે અનેરી તક

રાજકોટ,તા.૩૦:રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં.-૧ અને ૨ તથા દતોપંત  ઠેગડી પુસ્તકાલય તથા મહિલા વાંચનાલય નાનામવા મહિલા એકટીવિટી સેન્ટર તથા બાબા સાહેબ આંબેડ્કર પુસ્તકાલય તથા બાબુભાઈ વૈધ લાઈબ્રેરી નાં સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મુળ કિંમતના દસ ટકાનાં ભાવથી તા.૦૧/૦૭/૨૦ થી  ૧૦/૦૭/૨૦ સુધી વેચાણ કરવામાં આવશે. લાભ લેવા ઇચ્છતા સભ્યોને રવિવાર સિવાયના દિવસોમાં  સવારે ૧૧.૦૦ થી સાંજના ૪.૦૦ સુધીમાં શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય ૩૪, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ તથા દતોપંત ઠેગડી પુસ્તકાલય, શ્રોફ રોડ તથા બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, પેરેડાઈઝ હોલ સામે, ખાતેથી મળી શકશે. જેનો સભ્યોએ લાભ લેવા જણાવવામાં આવે છે.

(3:10 pm IST)