Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મોડીરાત્રે કાલાવડ રોડ પરના ચક્કાજામ મામલે પોલીસની સમજાવટથી ટોળા વિખેરાયા:રસ્તા ફરી પૂર્વવત ચાલુ

રાજકોટ :આજે રાત્રે રાજકોટમાં કાલાવડ રોડ પર દલિત સમાજના ટોળા દ્વારા ચક્કાજામ કર્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડ્યો હતો અને સમજવટના અંતે મોડીરાત્રે ટોળા વિખેરાયા હતા અને મામલો થાળે પડ્યો હતો

  અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આત્મવિલોપન કરવા ગયેલી મહિલા સહીત ચારની અટકાયતના વિરોધમાં જડુસ હોટલ પાસે રાત્રે 9 વાગ્યા આસપાસ ચક્કાજામ કરાયો હતો બાદમાં પોલીસ દોડી ગઈ હતી અને સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા

(11:23 pm IST)