Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

કોર્પોરેશનમાં કોઇ પણ જાતની શિષ્યવૃતિ અપાતી નથીઃ સુચના લગાવાઇ

રાજકોટઃ ધો. ૧૦ અને ધો.૧૨નાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે જેની વધુ માહિતી માટે મ્યુનિ. કોર્પોરેશનમાં સંપર્ક કરવા ઘણા સમયથી સોશયલ મિડિયામાં મેસેજ ફરી રહ્યા છે. આ અંગે સેંકડો લોકોને  મ્યુનિ. કોર્પોરેશનમાં પુછપરછ માટે ધરમના ધક્કા ખાવા પડે છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશનની પ્રોજેકટ શાખા દ્વારા સુચના લગાવવાની ફરજ પડી છે. અહિં આવી કોઇ શિષ્યવૃતિ આપવામાં આવતી નથી જે તસ્વીરમાં દર્શાય છે.

(4:05 pm IST)