Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રાજકોટ સૂરસંસારના પ્રણેતા મોદીકાકાની ચીરવિદાય

રાજકોટ : છેલ્લા ૩ દાયકાથી રાજકોટને જૂના ગીતોનું ઘેલુ લગાડનાર, અનેક ગાયક કલાકારો, સંગીતકારોને રાજકોટની પ્રજા સમક્ષ રજૂ કરનાર શ્રી ભગવતીભાઈ મોદી (મોદીકાકા)ઍ આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. રાજકોટના હજારો સંગીતપ્રેમી ભાઈ-બહેનોની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા છે. કોરોનામાંથી બહાર નીકળ્યા પછી ખૂબ જ નબળાઈ આવી ગયેલ. મોદીકાકાને બચાવી લેવાના અથાગ પ્રયાસો સફળ થયા ન હતા. તેમના દિવ્યાત્માને સત્ સત્ વંદન... અકિલા પરિવાર મોદી કાકાને કયારેય ભૂલી નહિં શકે.... અલવિદા મોદી કાકા....

(ફોન - ૦૨૮૧ - ૨૫૭૭૫૬૩)

(12:50 pm IST)