Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મવડીના નવલનગરમાં ત્રણ માનસિક અસ્થિરોનો ત્રાસઃ લતાવાસીઓ કોર્પોરેટરના ઘરે દોડયાઃ પોલીસ બોલાવાઈ

રાજકોટઃ. શહેરના મવડી વિસ્તારમાં આવેલ નવલનગર શેરી નં. ૯માં છેલ્લા ઘણા મહિનાથી ત્રણ માનસિક અસ્થિરોનો ત્રાસ હોય વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં આ સમસ્યા અસહ્ય થતા આજે કંટાળેલા લતાવાસીઓ આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકના ઘરે દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી. આથી સ્થળ પર પોલીસ બોલાવાઈ હતી જે તસ્વીરમાં દર્શાય છે.

(4:10 pm IST)