Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આનંદી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદો માટે ભોજન-રાશનકીટનું વિતરણ

રાજકોટઃ વોર્ડ નં. ૮ ના જાગૃત કોર્પોરેટર તથા ગુજરાત પ્રદેશના ભાજપના અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આનંદી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લક્ષ્મીનગર, દ્વારા છેલ્લા પ દિવસથી જરૂરીયાતમંદ લોકોને ટિફિનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. તેમજ લક્ષ્મીનગરમાં રહેતા શ્રમિકોને ૪૦૦ રાશન કિટનું વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ ચાવડીયાના, તથા અન્ય ટ્રસ્ટીઓ ધનસુખભાઇ કાસમપરા, હિરેનભાઇ રાઠોડ, બહાદુરભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ મોરી, શૈલેષભાઇ રાઠોડ, મહેશભાઇ વરમોરા, દિલીપભાઇ ચાવડીયા, રમેશભાઇ આહિર, પ્રકાશભાઇ જોટાણીયા, હરેશભાઇ મોરીધરા, ઉમેશભાઇ જાડેજા, મનોજભાઇ પાડલીયા, સંજયભાઇ પરમાર, તુષારભાઇ સોનરાજ ખુબજ મહેનત કરી રહ્યા છે. જેને સભ્યોશ્રી ફિરોજભાઇ બતાળા, ભરતભાઇ જાડેજા, ભરતભાઇ જાની, પ્રહલાદભાઇ મોરી, રૂષિતભાઇ દુધૈયા, યોગેશભાઇ રાઠોડ, પિન્ટુભાઇ ચાવડીયા, હસુભાઇ ચાવડીયા, દિપકભાઇ મુળાશીયા તથા સમગ્ર ટ્રસ્ટ પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ આનંદી એજયું. એન્ડ ચેરી. ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)