Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે રક્ષણઃ શહેરના સ્મશાનો-ટીપરવાન-મેઈન રોડ સહિતના સ્થળોને જંતુમુકત કરવા કાર્યવાહી

રાજકોટઃ કોરોનાના સંક્રમણ સામે લેવાય રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઈન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમા શહેરના ઈલે. તથા લાકડાના તમામ સ્મશાન, ટીપરવાન સહિતના મેઈન રોડના વિવિધ સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતું. આ અંગે મ્યુ. કોર્પોરેશનમાં શહેરના મવડી સ્મશાન, ઈલે. તથા લાકડાના શહેરના તમામ સ્મશાન, આસ્થા સોસાયટી, રામાપીર ફાયર સ્ટેશનથી સોપાલ હિલ (૩ થી ૪ કિ.મી. મેઈન રોડ), રામાપીર ચોકડીથી રૈયા ચોકડી ત્યાંથી આમ્રપાલી ટોકીઝ, ત્યાંથી કાલાવડ રોડ ફાયર બ્રાન્ચ, કોટેચા ચોક, સદર જ્યુબિલી, યાજ્ઞિક રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ નવું, લીમડા ચોક, હરિહર ચોક, સદર બજાર, કબ્રસ્તાન, હેડ પોસ્ટ ઓફિસ તથા શહેરના માધાપર ચોકડીથી સીવીલ હોસ્પીટલ સુધીનો સમગ્ર રોડ તથા મનપાની તમામ ટીપરવાનના સ્થળો પર, શહેરના માધાપર ચોકડીથી સિવિલ હોસ્પીટલ સુધીનો સમગ્ર રોડ તથા મનપાની તમામ ટીપરવાન સહિતના વિવિધ સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, શહેરમાં માધાપર ચોકડીથી સીવીલ હોસ્પીટલ ચોક સુધીનો સમગ્ર રોડ તથા આજુબાજુના વિસ્તાર, મનપાની તમામ ટીપરવાન, જંકશન વિસ્તાર, પોપટપરા, પથિકાશ્રમ પર આવેલ નાયબ મ્યુનિ. કમિશનરશ્રી પ્રજાપતિનો બંગલો અને નાયબ કલેકટરનો બંગલો તથા આજુબાજુના વિસ્તાર, રેસકોર્ષ અને બહુમાળી ભવન પાસે આવેલ સરકારી કવાર્ટર્સ તેમજ અન્ય સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઈન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે. આ કામગીરી મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલની સૂચના અને ડે. મ્યુ. કમિશનર એ.આર. સિંહના માર્ગદર્શન હેઠળ ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબાની નીગરાની હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

(4:03 pm IST)