Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

તિરૂપતી કુરીયર સર્વીસ પ્રા.લી. દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧.૫૧ લાખ અર્પણ

રાજકોટ,તા.૨૮: વિશ્વભરમાં ફેલાયેલ મહામારી સંર્દભે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક પગલા લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાય માટે આહવાન આપતા શહેરના તિરૂપતી કુરીયર સર્વીસ પ્રા.લી. દ્વારા રૂ.૧.૫૧ લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈ ટ્રાન્સફર કરવામાં આવેલ. તિરૂપતી કુરીયર સર્વીસ પ્રા.લી.ના ચેરમેન શ્રી રામજીભાઈ કે. શિયાણીએ જણાવેલ કે આ કપરા સમયમાં ગુજરાતના ભાઈ-બહેનો માટે જવાબદારીના ભાગરૂપે કાર્ય કર્યાનો સંતોષ છે.

(3:44 pm IST)