Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજમોતી ઓઇલ મિલ પરિવાર દ્વારા CM રાહત ફંડમાં પ લાખ અર્પણ

પૂજીત રૂપાણી ટ્રસ્ટને પણ રૂ. ૧ લાખ અર્પણ : માનસિક રીતે પછાત બાળકીઓની સંસ્થાને રૂ. રપ૦૦૦ તથા ક્રાંતિ માનવ ટ્રસ્ટને પ૧૦૦૦ તેલના પાઉચ અપાયા

રાજકોટ તા. ૩૦: સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી સામે પૂરી તાકાતથી એકજુથ થઇને લડવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની પ્રજાને મુખ્યમંત્રી રાહત નીધિમાં ઉદાર હાથે ફાળો આપવા કરેલી અપીલ બાદ વિવિધ સંસ્થાઓ, નાગરિકો, સંગઠનો, વેપાર-ઉદ્યોગ દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવી રહ્યો છે જેમાં અત્રેની રાજમોતી ઓઇલ મિલ પરિવાર દ્વારા રૂ. પ લાખનું દાન રાહત નીધિમાં આપવામાં આવેલ છે. આ ઉપરાંત પરિવાર દ્વારા શ્રી પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટને પણ રૂ. ૧ લાખનું દાન આપવામાં આવેલ છે.

આ સિવાય રાજમોતી ઓઇલ મિલ દ્વારા માનસિક રીતે પછાત બાળકીઓની સંસ્થાને રૂ. રપ,૦૦૦ ઉપરાંત કોરોનાને કારણે હીજરત કરી જતાં ગરીબ પરિવારો માટે રાહત કીટ બનાવતા ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટને પ૧૦૦૦ પાઉચ તેલના આપવામાં આવેલ છે.

૧૯૮૬ થી આ પરિવાર દ્વારા સ્વ. મધુભાઇ શાહના સ્મરણાર્થે દર વર્ષે આ મહિનામાં અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો માટે દાન-સહાય આપવામાં આવતી હોય છે.

(3:34 pm IST)