Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

'શહીદ દિન' નિમિતે મનપામાં બે મીનીટ મૌન પાડી શહીદવિરોને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યા છે. તેવા શહીદ વિરોની સ્મૃતિમાં આજે તા. ૩૦ના રોજ 'શહીદ દિન'નાં રોજ સવારે ૧૧ કલાકે મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા મનપાની વિવિધ શાખાઓના અધિકારી/કર્મચારીઓએ બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરી ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(3:46 pm IST)