Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કરણપરામાં હોસ્‍પિટલના ચોકીદાર વૃધ્‍ધનું બેભાન થઇ ગયા બાદ મોત

નેપાળી ધીરેન્‍દ્રભાઇએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: બસ સ્‍ટેશન પાછળ કરણપરા-૩૦માં રહેતાં અને ત્‍યાંની ખાનગી હોસ્‍પિટલમાં ચોકીદારી કરતાં ધીરેન્‍દ્રભાઇ રવિભાઇ વિશ્વકર્મા નામના નેપાળી વૃધ્‍ધ ગઇકાલે વોચમેનની નોકરી પર હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

 

(3:39 pm IST)