Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

આજીડેમ નજીક દરગાહ પાસે લોહીની ઉલ્ટી થયા બાદ અજાણ્યા જટાધારી યુવાનનું મોત

લોકો રાજૂ તરીકે બોલાવતાં: વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩૦: આજીડેમના મેલડી માતાજીના મંદિર નજીક આવેલી દરગાહ બહાર સુઇ રહેતા અને લોકો જમાડે એ જમી લેતાં અજાણ્યા આશરે ૩૫ વર્ષના જટાધારી યુવાનને રાતે લોહીની ઉલ્ટી થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. સવજીભાઇ બાલાસરાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને લોકો રાજુના નામથી બોલાવતાં હતાં. તેનું સાચુ નામ કે વતન કોઇ જાણતું નથી. ચાર-પાંચ વર્ષથી તે અહિ રહેતો હતો અને મંદિર તેમજ દરગાહ બંનેમાં સાફસફાઇનું કામ પણ કરતો હતો. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:45 am IST)