Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

રામાનંદાચાર્ય જયંતિની ધામેધુમે ઉજવણી : હાથી ઘોડા સાથે શોભાયાત્રા - ધર્મસભા

રાજકોટ : સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ અને સમસ્ત રામાનંદી યુવા મંડળ દ્વારા જગતગુરૂ શ્રી રામાનંદાચાર્યજીની ૭૧૯ મી જન્મ જયંતિની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. સમસ્ત રામાનંદી યુવા મંડળના પ્રમુખ નિખીલભાઇ નિમાવતની આગેવાની હેઠળ ગુંદાવાડી રામજી મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જેમાં હાથીની અંબાડી પર શ્રી રામચંદ્રાચાર્યજીની તસ્વીરને બીરાજમાન કરાવાય હતી. સંતો મહંતો, બાઇક, જીપ, ઘોડાગાડી અને મહીલા ધૂન મંડળીના ફલોટ સાથે આગળ વધેલ આ રથયાત્રા મુખ્ય માર્ગો ઉપર ફરી ધર્મસભાનારૂપમાં ફેરવાઇ ગઇ હતી. રામાનંદી સાધુ સમાજના પ્રમુખ અને ગુણેશ્વરધામના મહંતશ્રી અવધેશબાપુ, શ્રી હરેશબાપુ, ગોપાલ ગૌશાળા, શ્રી ભુપતબાપુ, શ્રી ઘનશ્યામભાઇ નિરંજની, કથાકાર શ્રી પ્રભુ પગલાની જગ્યા વગેરેએ ઉપસ્થિત રહી આશીર્વચનો આપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુકો-ભીનો કચરો નાખવા માટે ૧ હજાર કચરા ટોપલીઓનું સમસ્ત રામાનંદી સાધુ સમાજના લોકોને વિતરણ કરાયુ હતુ. આ વિતરણ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે કરવામાં આવેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટના હોદેદારો વિનોદભાઇ કુબાવત, પ્રવિણભાઇ દેવમુરારી, કિશોરભાઇ કુબાવત, શાંતિભાઇ કુબાવત, મનહરભાઇ કુબાવત, છબીલભાઇ નૈનુજી, નંદલાલભાઇ અગ્રાવત, પરશુરામભાઇ દેવમુરારી, ગીતાબેન નિમાવત, છબીલભાઇ નૈનુજી, નારણદાસ વિશ્નુસ્વામી, ભરતભાઇ કુબાવત, નિર્મળભાઇ નિમાવત, સમસ્ત રામાનંદી યુવા મંડળના હોદેદારો રાજેશભાઇ નિમાવત, હિતેષભાઇ નિમાવત, નિખીલભાઇ નિમાવત, કલ્પેશભાઇ પુર્ણવૈરાગી, કેતન લશ્કરી, મુન્નાબાપુ ખોખરજી, રાજુભાઇ કુબાવત, રજનીભાઇ રામાવત, કૌશીકભાઇ દેવમુરારી, વિપુલભાઇ કુબાવત, વિમલભાઇ કિલજી, જીતેન્દ્રભાઇ વિશ્નુસ્વામી, દેવ નિમાવત, સુધીર નિમાવત, રમેશભાઇ રામાવત, વિપુલ પુર્ણવૈરાગી, નરેન્દ્રભાઇ પુર્ણવૈરાવગી, ભાવેશભાઇ રામાવત, નીમેષભાઇ અગ્રાવત, વિશાલ નિમાવત, અમીતભાઇ અગ્રાવત, મયુરભાઇ રામાનંદી વગેરેએ જહેમત ઉઠાવી હતી. (

(3:53 pm IST)