Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સ્વ.દેવાભાઇ બોળીયાના સ્મરણાર્થે રકતદાન-સન્માન-શ્રીનાથજીની ઝાંખી

 રાજકોટ : વોર્ડ નં.૧૩ના ભાજપ અગ્રણી નારણભાઇ બોળીયા દ્વારા વોર્ડમાં આવેલ શાળા નં.૬૯, અંબાજી કડવા મેઇન રોડ, સ્વામીનારાયણ ચોક ખાતે સ્વ.દેવાભાઇ ખીમાભાઇ બોળીયાના સ્મરણાર્થે બાલાભાઇ બોળીયા, પુર્વ મેયર રક્ષાબેન બોળીયાના અધ્યક્ષસ્થાને મહાનુભાવોનો સન્માન સમારોહ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ શ્રીનાથજીની ઝાંખી સહિતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ ત્રિવિધ કાર્યક્રમોનું ઉદ્દઘાટન ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ કર્યુ હતુ. આ સેવાકાર્યમાં આયોજકો દ્વારા રપ૧ બોટલ રકત એકત્ર કરાયુ હતુ. કાર્યક્રમમાં વિધાનસભા-૭૦ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ પટેલ, શહેરના મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ, દિનેશભાઇ ટોળીયા, શહેર ભાજપના હોદેદારો પ્રફુલભાઇ કાથરોટીયા, વિક્રમભાઇ પુજારા, રઘુભાઇ ધોળકીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા. રકતદાન કેમ્પ, સન્માન સમારોહ, શ્રીનાથજીની ઝાંખી સહિતના ત્રિવિધ કાર્યક્રમના વોર્ડના કોર્પોરેટર જયાબેન ડાંગર, વોર્ડ નં.૧૩ ભાજપના પ્રમુખ હસુભાઇ ચોવટીયા, વોર્ડ મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યોગેશભાઇ ભુવા, ભાજપ અગ્રણી કાંતીભાઇ ઘેટીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા નારણભાઇ બોળીયા (શ્યામ ચાઇનીઝ-પંજાબી) પરિવારે જહેમત ઉઠાવી હતી.(૩-૧૩)

(4:30 pm IST)