Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા બાળકોને ભોજન

પૂર્વ વડાપ્રધાન અને સ્વ. અટલબિહારી બાજપાયીજીની જન્મજયંતિ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી 'સુશાસન દિવસ' ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠરી, કિશોર રાઠોડ, પૂર્વ મેયર બીનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં કાલાવડ રોડ, પાણીનાં ટાંકા સામે સ્થિત માનસિક ક્ષતીગ્રસ્ત બાળકોને ભોજન કરાવાયું હતું. આ તકે રમેશ પરમાર, જે. પી. ધામેચા, બાબુભાઇ હરસોડા, રાજનભાઇ સિંધવ, દિનેશભાઇ કણજરીયા, વિપુલ માખેલા, ભરત કુબાવત, મોહીત પરમાર, દેવાંગ કુકાવા, લક્ષ્મણભાઇ શિયાળ, હિતેશભાઇ ડોડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:32 pm IST)