Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગુરૂદ્વારા પાસેના મુકિતધામને સંત કંવરરામનું નામ અપાયુ

શહેરના વોર્ડ નં. ૩ માં ગુરૂદ્વારા પાસે આવેલ મુકિતધામ તરફ જવાના માર્ગને અમરશહિદ સંત કંવરરામનું નામ અપાતા ભાઇ સાહેબ અમરલાલના હસ્તે ફુલહાર કરવામાં આવ્યા હતા. આ તકે કોર્પોરેટર અતુલ રાજાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. સીંધી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન પ્રસાદનું વિતરણ કરાયુ હતુ. સમગ્ર કાર્યની સફળતા માટે રાધાકિશન આહુજા, પરષોતમ પમનાણી સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(2:54 pm IST)