Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સ્વ.પાંચાભાઈ સોરઠીયાના સ્મરણાર્થે મંગળવારે મહારકતદાન કેમ્પ -ફ્રી સર્વરોગ નિદાન

પૂ.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પ્રવેશદ્વાર લોકાર્પણવિધિ

રાજકોટ,તા.૨૯ : છેલ્લા ૧૦વર્ષથી સ્વ.પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયાના સ્મરણાર્થે મહારકતદાન કેમ્પ, સર્વરોગ ફ્રીનિદાન કેમ્પ તેમજ જુદા-જુદા અર્પણ વિધિના આયોજન કરવામાં આવે છે. આ વખતે ૧૧માં વર્ષ પણ સ્વ.પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયાના સ્મરણાર્થે તા.૨ જાન્યુઆરીના મંગળવારે મહારકતદાન કેમ્પ તથા જય સરદાર ગૌશાળા કોઠારીયાના પ્રવેશદ્વાર લોકાર્પણ વિધિ પ્રસંગે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે.

મહારકતદાન કેમ્પ તેમજ પર્લ્સ વુમન્સ હોસ્પિીટલના સહયોગી સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ સવારે ૮ કલાકથી, તેમજ સ્વ.પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયાની ૧૧મી પુણ્યતિથીના સ્મરણાર્થે પ્રવેશદ્વાર લોકાર્પણ વિધિ સવારે ૧૦ કલાકે બાપા સીતારામ ચોક, સોરઠીયા પરિવાર વંડો મવડી ગામ-રાજકોટ ખાતે રાખેલ છે.

આ પ્રસંગુ દિપ પ્રાગટય વિધિ પૂ.સદગુરૂવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી ગુરૂકુળ - અમદાવાદ)ના હસ્તે રાખેલ છે.

કાર્યક્રમ માટે શૈલષ સ્ટીલ ફોર્જીંગ રાજકોટ- ર્શૈલેષ ગ્રુપ મવડી જહેમત ઉઠાવી રહેલ છે. મો.૯૮૨૪૦ ૫૨૫૩૨

તસ્વીરમાં જસમતભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠીયા, શૈલેષભાઈ રૂપારેલીયા, ભરતભાઈ હજારે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:26 pm IST)