Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

એરપોર્ટ રોડ જિનાલયની ૧૫મી વર્ષગાંઠની ભવ્‍ય ઉજવણી

રાજકોટ, તા.૨૯: વર્ધમાન તપોનીધી  પ. પૂ. પન્‍યાસ પ્રવર સત્‍વબોધી મ. સા. ની પાવન નીશ્રામા શ્રી શાંતિનાથ જિનાલય(એરપોર્ટ)ની ૧૫મી વર્ષગાંઠ ભવ્‍ય ઉજવણી કરવામા આવેલ.

આ પાવન પ્રસંગે પૂજ્‍ય મહારાજ સાહેબે ૪ દિવસ નીશ્રા આપેલ. તે દરમ્‍યાન બાર વ્રત નિયમ, અષ્ટોતરી અભિષેક, સમૂહ સાંજી, સમુહ આરતી વગેરે સુંદર આયોજન કરેલ. તેમજ શ્રી સંઘ સ્‍વામી વાત્‍સલ્‍યનું પણ આયોજન કરેલ. દરેક પ્રસંગમા સંઘના શ્રાવક - શ્રાવિકાઓએ લાભ લીધેલ.

આ પ્રસંગને દીપાવવા દરેક સંઘના ટ્રસ્‍ટીઓ પધારેલ. ગાંધીગ્રામ સંઘના યુવક મંડળે ધજાના સામૈયામા સંગીત શુરાવલી રેલાવી હતી. તેમ શ્રી શાંતિનાથ જૈન સંઘના ટ્રસ્‍ટી અશ્વિનભાઈ દોશીની યાદીમા જણાવેલ છે.

(4:04 pm IST)