Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોરોના મૃતકોની સહાયના સર્ટી માટે મ.ન.પા.માં અરજદારો ઉમટી પડ્યા : દરવાજા સુધી લાઇનો

સ્ટાફ વધારવા સુચના આપતા પુષ્કર પટેલ

રાજકોટ, તા. ર૯ :  રાજય સરકાર દ્વારા કોરોનાના મૃતકોનો પ૦ હજારની સહાય અપાઇ રહી છે. જે માટે જરૂરી મરણ નોંધના સર્ટી. મ.ન.પા. દ્વારા અપાઇ રહ્યા છે ત્યારે આજે આ સર્ટી મેળવવા માટે મ.ન.પા.ની સેન્ટલ ઝોન કચેરીએ અરજદારો ઉમટી પડતાં મુખ્ય દરવાજા સુધી લાઇન પહોચી જતા અફડા-તફડી મચી હતી. આ બાબત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના ધ્યાને આવતા તેઓએ વધુ સ્ટાફ મુકાવી તમામ અરજદારોને વહેલી તકે જરૂર સર્ટી મળી જાય તેવી વ્યવસ્થા કરાવી હતી.

(3:40 pm IST)