Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઘંટેશ્વર વિસ્તારની સગીરાને ભગાડી જનાર મોટાલીલીયાના સદામ ઉર્ફે ઘુઘાની શોધ

રાજકોટ તા.ર૯ : જામનગર રોડ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર અમરેલીના મોટાલીલીયાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગત તા.ર૩/૪/ર૦૧૯ ના રોજ લલચાવી ફોસાલવી અમરેલીના મોટા લીલીયાનો હાલ રાજકોટ ઘંટેશ્વર રપ વારીયા, કવાર્ટર નં.૧૦૧૭માં રહેતો સદામ ઉર્ફે ઘુઘો ભગાડી જતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ બનાવની તપાસ મહિલા પોલીસ મથકના એન્ટી હ્યુમન ટ્રાફીકકીંગ યુનિટની ટીમને સોંપવામાં આવતા પી.આઇ.એસ.આર. પટેલની રાહબરી હેઠળ એન્ટીહ્યુમન ટ્રાફીકીંગની ટીમે તપાસ હાથધરી આરોપી સદામ ઉર્ફે ઘુઘો ઉર્ફે રાજુસિંહ ઉર્ફે ગુગો સીકંદરભાઇ મકવાણા ઉર્ફે ભાલસિંહ મકવાણા (ઉ.૩૦) (રે. જામનગર રોડ ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં.૧૦૧૭, મુળ અમરેલીના મોટાલીલીયા ગામ ગોડાઉન વિસ્તાર રેલવેના પાટા પાસે)ની શોધખોળ શરૂ કરી છે. જો કોઇને આ શખ્સ જોવા મળે તો રાજકોટ શહેર પોલીસ કંટ્ર્રોલ રૂમ ફોન નં. ૦ર૮૧-ર૪પ૭૭૭ તથા મહિલા પોલીસ સ્ટેશન ફોન નં.૦ર૮૧-ર૪પ૦૭૯૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:29 pm IST)