Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ઇન્ડિયન લાયન્સ વાયબ્રન્ટ કલબનું સ્નેહમિલન યોજાયું

રાજકોટ, તા. ર૭ : તા. ૨૪ના રોજ ઇન્ડિયન  લાયન્સ વાયબ્રન્ટ કલબનું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું જેમાં ઇન્ડયન લાયન્સ  વાયબ્રન્ટ પ્રમુખ કૌશિકભાઇ ટાંક તેમજ નેશનલ વાઈસ ચેરમેન વનરાજભાઈ ગરૈયા  સહિતના સભ્યો પોતાના પરિવાર સાથે સ્નેેહમિલનમાં જોડાયા હતા. જેના મુખ્ય મહેમાનમાં રાષ્ટ્રીય સ્વયં  સેવક સંધના મહાનગર કાર્યવાહ શ્રી ડો.આશિષભાઇ શુકલ એ પોતાની હાજરી આપી  હતી અને તેઓએ પોતાના બૌધ્ધિકમાં સંયુકત પરિવાર ની મહત્વતા સમજાવી હતી.  પ્રમુખ કોશિકભાઈ એ આવતા વર્ષોમા પરિવાર ભાવના સાથે આત્મીયતા,  લાગણી અને સંબંધો વધુ મજબુત બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.  વનરાજભાઈ ગરૈયાએ સંયુકત પરિવારનુ મહત્વ સમજાવ્યું હતુ.  જો  વ્યકિતને કુટુંબ માટે એકતા અને લાગણી ની ભાવના હશે તો તે સમાજ અને દેશ માટે  શ્રેષ્ઠ કાર્ય કરી શકશે. ઇન્ડિયન લાયન્સ પોતાના દરેક કાર્યક્રમમાં સમાજ ને કંઈક  પ્રેરણા આપતું કાર્ય કરતુ હોય છે. ઇન્ડિયન લાયન્સ નો પાયો રાષ્ટ્રીય અને પારિવારિક  સંગઠન ભાવના સમાજ અને પરિવારમાં જળવાય રહે તે માટે પેટ્રનશ્રી હિતેશભાઇ  પંડયા સતત માર્ગદર્શન આપતા રહે છે. હિતેશભાઇ પંડ્યા કે જેઓ હાલ એડી. પી.આર.ઓ. ટુ સી.એમ.ની જવાબદારી વહન કરે છે.  કલબના હોદેદારો એભલભાઈ ગરૈયા, મયુરભાઈ સોની, પ્રશાંતભાઈ લાઠીગ્રા,  પરેશભાઈ ખોખર, હુશેનભાઈ બદાણી, રજતભાઈ કાકરેચા, જયેશભાઇ જાની,  મનોજભાઈ મિયાત્રા, જીગ્નેશ ભાઈ રામાવત, રાજેશભાઈ સોલંકી અને મિડિયા  ઈન્ચાર્જ ધ્રુવભાઈ કુંડલે આયોજન કર્યું હતું.

(2:48 pm IST)