Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાધેશ્યામ સોસાયટીમાં લોહીની ઉલ્ટી થયા બાદ ૧૭ વર્ષના શ્રુતિકનું મોત

રાજકોટ તા. ૨૯: કોઠારીયાના બ્રહ્માણી હોલ નજીક રાધેશ્યામ સોસાયટી-૩માં રહેતાં શ્રુતિક અશોકભાઇ કોઠારી (પટેલ) (ઉ.વ.૧૭)ને રાતે લોહીની ઉલ્ટી થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક એક બહેનથી મોટો હતો અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. તેના પિતા ઇમિટેશનનું કામ કરે છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(11:43 am IST)