Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રાજકોટના જસ્મીન સવનીયાનુ જેતલસર પાસે અકસ્માતમાં મોતઃ અરેરાટી

જૂનાગઢથી ક્રિકેટમેચ રમીને પરત ફરતાં સ્કોપિયો પલટીમારી જતા બન્ને ભાઇનેગંભીર ઇજા થઇ'તીઃ પતિનામોતથી સગર્ભા તથા પરિવારનો શોક

રાજકોટ, તા.૨૯: આજથી ચાર દિવસ પહેલા જેતપુર તાલુકાના જેતલસર બાયપાસ પાસ પલટી ખાઈ ગયેલી સ્કોર્પિયો કારના બનાવમાં રાજકોટના યુવાનનું સારવાર દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર બાયપાસ પાસે ગઈ તા.૨૪ના રોજ જુનાગઢ તરફથી પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે ડ્રાઈવિંગ પરનો કાબુ ગુમાવતા  કાર પલટી ખાઈ જતા તેમાં બેઠેલા રાજકોટ સ્થિત અભયભાઈ ત્રિકમલાલ સવનિયા નામના ૨૭ વર્ષના પ્રજાપતિ યુવાનને માથામાં તેમજ તેમના મોટાભાઈ જસ્મીનભાઈને પણ માથામાં ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં જસ્મીનભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઙ્ગબનાવ બાબતે મૃતકના નાનાભાઈ અભય સવનિયાએ જણાવ્યું હતું કે તેઓ જુનાગઢ ખાતે પ્રજાપતિ જ્ઞાતિના યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી ક્રિકેટ રમી પરત ફરતા હતા ત્યારે જેતલસર બાયપાસ પાસે એક ઇકોકારને બચાવવા જતા ડ્રાઈવર આનંદ પાણખાણીયાથી ડ્રાઈવિંગ પરથી કાબુ ગુમાવાતા કાર પલટી ગઈ હતી.

અભયના જણાવ્યા અનુસાર મૃતક મોટાભાઈ જસ્મીનભાઇ મેરીડ છે. કોઈ સંતાનો નથી. પણ તેમના પત્ની પ્રસુતા તરીકે દિવસો ગાળી રહ્યા છે. જસ્મીનભાઇ એલ્યુમીનીયમ સેકશનના ધંધા સાથે સંકળાયેલા છે. જયારે અભય કે જેમને પણ માથામાં ઈજા થઇ હતી તે રાજકોટમાં ફર્નીચરના ધંધા સાથે સંકળાયેલા છે.

જેતપુર તાલુકા પોલીસના ભુરાભાઈ માલીવાડે અભય ત્રિકમ સવનિયા(રહે.કોઠારિયા સોલ્વન્ટ, હરિદ્વાર-૧, રાધિકા રેસીડેન્સી-૩, બ્લોક નંબર-૪, રાજકોટ)ની ફરિયાદ પરથી જીજે ૧ કે.એમ. ૧૨૪૬ નંબરની સ્કોર્પિયો કાર ચાલક આનંદ પાણખાણીયા (રાજકોટ) સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક જસ્મીનભાઇના પત્ની સગર્ભા છે. પતિના મોતથી સગર્ભા તથા પરિવારજનો હતપ્રત થઇ ગયા છે.

(4:04 pm IST)