Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વ્યકિત એ જ પણ ભાવ અલગ

ત્રણ વર્ષ પહેલા જૈન ભાગવતી દિક્ષા અંગીકાર કરી સંસારી મિતુલ મહેતામાંથી જૈન સંત પૂ. વિનમ્રમુનિ બનેલ. આજે તેઓ તેમના સંસારી મુકામે   પૂ. ગુરૂદેવ નમ્રમુનિ સાથે અંબિકા પાર્કના આંગણે પધાર્યા હતા. ત્યારે વ્યાખ્યાન સ્થળે પ્રવેશતી વેળાએ પૂ. વિનમ્રમુનિની એક તરફ તેમના સંસારી માતુશ્રી સેજલબેન અને બીજી તરફ તેમના સંસારી પિતાશ્રી તુષારભાઇ વંદન કરી રહેલ તસ્વીરમાં કેદ થયા હતા. સંસારી મિતુલ હોય કે પછી દિક્ષા બાદ પૂ. વિનમ્રમુનિ હોય વ્યકિત એક છતા ભાવ અલગ-અલગ થઇ જાય છે. (અશોક બગથરીયા)

(11:53 am IST)