Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

કોર્પોરેશનમાં ખળભળાટ

બે પી.એ.-ત્રણ સીટી ઇજનેરો સામે તોળાતા શિક્ષાત્મક પગલા

રાજકોટ તા.૨૯: મ્યુ.કોર્પોરેશનમાં છેલ્લા બે-ચાર મહિનાથી વહીવટી પાંખનાં કેટલાક અધિકારીઓ સામે અવાર-નવાર બેદરકારીનાં આક્ષેપો લાગતા રહયા છે. ત્યારે હવે આ બાબતે જવાબદારો સામે કડક પગલા તોળાઇ રહયાની ચર્ચા વહીવટી પાંખમાં જાગી છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં કમિશનર વિભાગમાં ચર્ચાતી વિગતો મુજબ ''શહેરમાં પાણી વિતરણ તથા ઓવર બ્રીજ સહિતનાં વિકાસકાર્યો વગેરે બાબતોમાં કેટલીક વહીવટી ક્ષતિઓ અંગે મ્યુ.કમિશનરશ્રીને ફરિયાદો મળતા તેઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ મ્યુ.કમિશનર દ્વારા ત્રણ સીટી ઇજનેરોને શો -કોઝ નોટીસ ફટકારવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે.એટલું જ નહીં કમિશનર વિભાગનાં પી.એ. કક્ષાએ વર્ષોથી જવાબદારી નિભાવી રહેલા બે અધિકારીઓ સામે પણ બદલી તોળાઇ રહી હોવાની ચર્ચા છે.

આમ મ્યુ.કમિશનર દ્વારા એકી સાથે પાંચ-પાંચ મહત્વનાં અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાની તૈયારી કરી લેતા કોર્પોરેશનની વહીવટી પાંખમાં જબરો ખળભળાટ મચી ગયો છે.(૧.૨૫)

(3:53 pm IST)