Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વધુ ૧૨ પીઆઇની બદલીઃ જુનાગઢ પીટીસીના શ્રીમતિ એસ. એન. રાઠોડ રાજકોટ મુકાયા

ગાંધીનગરના આર. વી. વાજાની રાજકોટ ગ્રામ્‍યમાં બદલીઃ રાજકોટ ગ્રામ્‍યના આર. પી. સોલંકી અને રાજકોટ વિભાગના એમ. પી. વાળાની પણ બદલી

રાજકોટ તા. ૨૯: ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા બદલીઓના ઘાણવામાં રાજ્‍યના વધુ ૧૨ બીન હથીયારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીઓનો ઓર્ડર નીકળ્‍યો છે.

જે બદલીનું લિસ્‍ટ સામે આવ્‍યું છે તેમાં જુનાગઢ પીટીસીના શ્રીમતિ એસ. એન. રાઠોડને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે રાજકોટ ગ્રામ્‍યમાં ગાંધીનગરના આર. વી. વાજાની નિમણુંક થઇ છે. રાજકોટ ગ્રામ્‍યના આર. પી. સોલંકીની બદલી આદિજાતી વિકાસ વિભાગ વિજીલન્‍સ સેલ સુરત ખાતે અને રાજકોટ વિભાગના એમ. પી. વાળાની બદલી જામનગર થઇ છે. આ ઉપરાંત વડોદરાના આર. એ. પટેલ, વી. બી. આલ, વલસાડના ડી. એમ. ઢોલ, પ.રે. અમદાવાદના આર. એન. વિરાણી, જીઇબીના જે. એ. બારોટ, એટીએસના એચ. કે. ભરવાડ, કરાઇના એચ. પી. પાલીયા, એસીબીના પી. બી. ગઢવીની પણ બદલી થઇ છે.

(4:41 pm IST)