Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

શાપરમાં શાંતીધામના ગેઇટ પાસે છતમાંથી પોપડુ માથે પડતા ૪ વર્ષની બાળકીનું મોત

રાજકોટ, તા., ૨૯: શાપર વેરાવળમાં આવેલા શાંતીધામના ગેઇટ પાસે મકાનના છજામાંથી સીમેન્‍ટનું પોપડુ માથે પડતા ચાર વર્ષની બાળકીનું મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ શાપર શાંતીધામના ગેઇટની બાજુમાં મોસમ એગ્રોની બાજુમાં રહેતા વિનોદ સીંગની ૪ વર્ષની પુત્રી સુભી ઘર પાસે રમતી હતી ત્‍યારે અચાનક છતમાંથી સીમેન્‍ટનું પોપડુ માથે પડતા બાળકીને માથા  તથા શરીરે ઇજા થતા બેભાન થઇ જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાઇ હતી. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ અંગે શાપર-વેરાવળ પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:37 pm IST)