Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

જશાપરમાં ધીરગુરુદેવના સાંનિધ્‍યે અઠ્ઠાઇ તપની અનુમોદના સાંજી

રાજકોટ,તા. ૨૯ : શ્રી જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ.શ્રી. ધીરગુરુદેવની નિશ્રામાં ઘેર ઘરે તપના તોરણ શૃંખલામાં ૮૦ વર્ષના લીરીબેન તથા વીલીબેન, રૂપીબેન, ભાવનાબેન એમ ૪ બહેનોએ અઠ્ઠાઇ તપની તપર્યા કરતા સ્‍મિતા હરીશ મહેતાએ સન્‍માન કરેલ. રજનીભાઇ બાવીસી તેમજ કલકતાના પરેશ દફતરી તથા મનોજ ડેલીવાલા, ગૌરવ દોશી, મુંબઇના પ્રાણબાપા શેઠ, ચીંચપોકલીના ભરત વિરાણી વગેરેએ તપસ્‍વીઓની સાતાપૃચ્‍છા કરી તપોભાવનાને બિરદાવી હતી.

(4:29 pm IST)